પ્રકીર્ણ · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

ડીએનએ: ન્યુક્લિઓટાઈડ તથા નાઈટ્રોજીનસ બેઝ

ન્યુક્લિઓટાઈડ એ ડીએનએનો ઘટક છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે) ખાતે જેમ્સ વૉટસન અને ફ્રાંસિસ ક્રીક દ્વારા 1953માં ડીએનએના ‘ડબલ હેલિક્સ’ (ડબલ હિલિક્સ) બંધારણની જાહેરાત થઈ. સાથે જ ન્યુક્લિઓટાઈડ અને નાઈટ્રોજીનસ બેઝની અગત્યતા અન્ય સંશોધકોને સમજાઈ. ડીએનએના દરેક સ્ટ્રેન્ડ પર નિર્ધારિત ક્રમમાં નાઈટ્રોજીનસ બેઝ (A,T,C,G) ની ગોઠવણી હોય છે. દરેક નાઈટ્રોજીનસ બેઝ એક સુગર મોલિક્યુલ અને એક ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાય છે. આમ, નાઈટ્રોજીનસ બેઝ, સુગર તથા ફોસ્ફેટ મોલિક્યુલથી બનેલ એકમ ન્યુક્લિઓટાઈડ તરીકે ઓળખાય છે.

વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

ડીએનએ, ક્રોમોસોમ, જીન અને આનુવંશિકતા

માનવ કોષ (Cell)માં ક્રોમોસોમના જીન (જનીન)માં રહેલ ડીએનએ આનુવંશિકતાનાં લક્ષણોનું વહન કરે છે. જીનમાં રહેલ ડીએનએ દ્વારા માતા-પિતાનાં આનુવંશિક લક્ષણો સંતતિમાં આવે છે.

દરેક સજીવનો સૌથી નાનો બંધારણીય અને ક્રિયાશીલ જૈવિક એકમ કોષ કહેવાય છે. એક કોષ (પેરન્ટ સેલ)માંથી બીજા કોષો (ડૉટર સેલ્સ)નું સર્જન થઈ શકે છે. કોષને કારણે જ સજીવ પોતાના જેવો બીજો સજીવ બનાવી શકે છે.