અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વના હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ અને ભારતની સૌ પ્રથમ હોટેલો

કોરોના વાયરસના ભયથી વિશ્વના દેશો થથરી ઊઠ્યા છે. વૈશ્વિક મહામારી – કોવિડ-19 – એવી ફેલાઈ ગઈ છે કે આધુનિક માનવસભ્યતાના સામાજીક અને આર્થિક પાયાઓ ડગમગતા દેખાય છે. ગ્લોબલાઇઝેશનના જોરે જામેલા આંતરરાષ્ટ્રીય વાણિજ્ય-વેપારો ખતરામાં આવી ગયા છે. લોકડાઉનના પગલે માનવજીવનની રફ્તાર થંભી ગઈ છે. આધુનિક સંસ્કૃતિના પ્રતીક સમા ઇન્ટરનેશનલ બિઝનેસ, એવિએશન, ટૂરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને અકલ્પનીય ફટકાઓ પડ્યા છે. ઝગારા મારતો હોટેલ ઉદ્યોગ અત્યારે તો જાણે તદ્દન ભૂલાઈ ગયો છે! આધુનિક માનવી માટે હોટેલ તો ‘ઘરથી દૂર બીજું ઘર’, પરંતુ આજે ઘરમાં પૂરાયેલો માનવી હોટેલને યાદ પણ શી રીતે કરે?

હોટેલ ઉદ્યોગના ઝગમગતા ઇતિહાસને વાગોળવાની આ પળ છે.

ભારતમાં હોટેલ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાની સામે ઊભી તાજ હોટેલ યાદ આવે! સાથે કાલા ઘોડા સર્કલ પરની વૉટ્સન હોટેલ યાદ આવે કે જ્યાં વર્ષ 1896માં ફ્રાન્સના લ્યુમિયેર બ્રધર્સ દ્વારા નિર્મિત વિશ્વની પહેલી ફિલ્મો ભારતમાં પ્રથમ વાર પ્રદર્શિત થઈ. હકીકત એ છે કે તેની પણ પહેલાં હિંદુસ્તાનમાં હોટેલ ઉદ્યોગનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં!

‘મધુસંચય’ના આજના લેખમાં હોટેલ ઉદ્યોગના વિકાસના ઇતિહાસ પર ઊડતી નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો

વિશ્વનાં મશહૂર મ્યુઝિયમ્સ માનવસભ્યતાઓના અણમોલ વારસાને સાચવી રહ્યાં છે. આવાં મ્યુઝિયમ્સમાં બ્રહ્માંડનાં અને માનવજીવનના અવનવા રંગોને પ્રગટ કરતાં પદાર્થો, નમૂનાઓ કે ચીજવસ્તુઓ છે. કેટલાંક મ્યુઝિયમ સૂર્યમંડળ અને પૃથ્વીના અસ્તિત્વને ઉજાગર કરે છે, કેટલાંક ઇતિહાસની ચડતીપડતીની ગાથા કહે છે, કેટલાંક જીવનનાં વણદેખ્યાં પાસાંઓ પ્રગટ કરે છે, તો વળી કેટલાંક માનવ સંસ્કૃતિનાં બેનમૂન સર્જનોને સાચવીને ખડાં છે.

ગુજરાતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંસ્કાર નગરી વડોદરાનાં મ્યુઝિયમ્સ પ્રખ્યાત છે. અમદાવાદનું કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સ્ટાઇલ્સ એક અનોખું મ્યુઝિયમ છે. રાષ્ટ્રીય સ્તર પર ભારતનાં જાણીતાં મ્યુઝિયમ્સમાં નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, મુંબઈનું છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), કોલકતાનું સૌથી પ્રાચીન ઇન્ડિયન મ્યુઝિયમ, હૈદ્રાબાદનું સાલાર જંગ મ્યુઝિયમ, ચેન્નાઈનું મદ્રાસ ગવર્નમેન્ટ મ્યુઝિયમ આદિ સમાવિષ્ટ થાય.

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સની યાદીનો તો અંત જ ન આવે! આવી યાદીમાં યુરોપનાં ફ્રાન્સનું લુવ્ર મ્યુઝિયમ, અમેરિકાનાં સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ, ગુગનહાઇમ મ્યુઝિયમ્સ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ઇંગ્લેન્ડનું ‘બ્રિટીશ મ્યુઝિયમ’, વેટિકન સીટીનાં વેટિકન મ્યુઝિયમ્સ અને ચીનમાં બાઇજિંગના નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇનાનાં નામને ટોચ પર મૂકીએ તો પણ દુનિયાનાં અન્ય સેંકડો મ્યુઝિયમ્સને અન્યાય કરી બેસીએ!

‘મધુસંચય’ના આજના લેખમાં વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ્સની બહુરંગી દુનિયાની એક ઝલક મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ઇંગ્લેન્ડનો ઇતિહાસ, સત્તાની સાઠમારીઓ અને રાણી એલિઝાબેથ પ્રથમ

ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ પ્રથમ (ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ) સત્તા પર આવ્યાં તે પહેલાંનો ઇંગ્લેન્ડનો ઇતિહાસ સત્તાના કેવા કાળા કાવાદાવાઓથી ખરડાયેલો હતો તે આપે ‘મધુસંચય’ના ગયા લેખ (12 ઑગસ્ટ 2019)માં વાંચ્યું.

હજાર-બારસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડ પર સેક્સન (સેક્સોન) તથા ડેઇન્સ (ડેન્સ) શાસકોએ રાજ્ય કર્યું.

ઇસ 1066માં ફ્રાન્સના ડ્યુક ઑફ નોર્મન્ડીએ ઇંગ્લેન્ડ પર જીત મેળવી અને કિંગ વિલિયમ ફર્સ્ટ (વિલિયમ પ્રથમના નામે ઇંગ્લેન્ડની ગાદી સંભાળી. તેમને વિલિયમ ધ કોન્કરર પણ કહે છે. નોર્મન અને પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ) વંશના શાસકોએ ચારસોથી વધુ વર્ષો શાસન સંભાળ્યું.

પંદરમી સદીમાં ટ્યુડર વંશના પ્રથમ શાસક રાજા હેન્રી સાતમા પછી તેમના પુત્ર કિંગ હેન્રી આઠમાએ ઇંગ્લેન્ડની સત્તા સંભાળી. કેથોલિક પંથનો છેડો ફાડી પ્રોટેસ્ટંટ વિચારસરણી અપનાવનાર હેન્રી આઠમા પ્રથમ ઇંગ્લિશ રાજ્યકર્તા  હતા. 1547માં હેન્રી આઠમાના અવસાન પછી તેમની મુખ્ય ત્રણ રાણીઓનાં ત્રણ સંતાનો વચ્ચે સત્તાની હોડમાં આટાપાટા ખેલાતા રહ્યા જે ઇતિહાસમાં બેજોડ બની રહ્યા.

‘મધુસંચય’ના આજના લેખમાં હેન્રી આઠમા પછીના ઇંગ્લેન્ડના ઇતિહાસ પર નજર નાખીએ. સાથે ‘વર્જિન ક્વિન’ એલિઝાબેથ ફર્સ્ટ પૂર્વે કાંટાળા તાજ માટે સાઠમારીઓની કેટલીક કહાણીઓ જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ

લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સમાજ માટે શ્રેયસ્કર છે; સાથે પડકાર રૂપ પણ છે. તેને દીર્ઘ સમય માટે સંરક્ષિત કરવા દ્રઢ શાસનતંત્ર સાથે જાગૃત સમાજ પણ આવશ્યક છે.

લોકશાહીના જનક તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડમાં એક સમયે નિરંકુશ રાજાશાહી ફૂલીફાલી હતી. પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ/ પ્લાનટેજનેટ) વંશના રાજ્યકાળમાં એક ઐતિહાસિક ઘટના બની. ઇસ 1215માં ‘મેગ્ના કાર્ટા’ના ચાર્ટર ઓફ રાઇટ્સ પર ઇંગ્લેન્ડના કિંગ જહોનના દસ્તખત થયા. રાજા જોહને પ્રજાના કેટલાક હક્કો સ્વીકાર્યા અને રાજાની અમર્યાદ સત્તાઓનો અંત આવ્યો.

મેગ્ના કાર્ટામાં પ્રજાતંત્રની શક્તિ પ્રતિબિંબિત થઈ. મેગ્ના કાર્ટા થકી લોકતંત્રમાં વ્યક્તિસ્વાતંત્ર્યનાં વિચારનાં નવીન બીજ રોપાયાં.

પરંતુ પંદરમી સદીથી સત્તરમી સદી દરમ્યાન ઇંગ્લેંડમાં રાજસત્તાના એવા દાવપેચ રમાતા રહ્યા કે ઇતિહાસનાં કેટલાંક પાનાંઓ કાળાં પડી ગયાં!

પંદરમી સદીમાં સત્તાના કાવાદાવાઓએ રાજગાદીને ઝાંખપ આપી. સત્તાની લાલસામાં કલંકિત ઘટનાઓ બનતી ગઈ. ટ્યુડર વંશનો શાસનકાળ પણ દુર્ભાગ્યપૂર્ણ રહ્યો. રાજા આઠમા હેન્રીનું શાસન રિફોર્મેશનના ચિહ્નો લઈને આવ્યું, પણ ખટપટોનો પાર ન હતો! ટ્યુડર વંશના આખરી શાસક ‘વર્જિન’ ક્વિન તરીકે ઓળખાયેલ રાણી એલિઝાબેથ ફર્સ્ટના રાજ્યકાળને સંલગ્ન સમય ઝંઝાવાતોથી ઘેરાયેલો રહ્યો. તેમના મૃત્યુ પછી પણ સત્તરમી સદી સુધી એવા કાવાદાવા ખેલાતા રહ્યા કે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં તેનો જોટો નથી!    

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં 15મી-16 મી સદીમાં ઇંગ્લેન્ડમાં રાજસત્તાના કાવાદાવાઓની કેટલીક કહાણીઓ જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત

ક્રિકેટપ્રેમી દેશોમાં વર્તમાન આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટનો નશો છવાયેલો છે. ભારતમાં ક્રિકેટ પાછળનું પાગલપન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીથી પણ પહેલાના સમયથી છે. પદ્ધતિસરની રમત તરીકે ક્રિકેટનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો, પરંતુ આ રમત હિંદુસ્તાનની હોવાનો અવિશ્વસનીય દાવો પણ થતો રહ્યો છે.

અત્યારે ઇંગ્લેન્ડમાં યોજાયેલ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની ટુર્નામેન્ટ (12મી એડિશન) રોમાંચક તબક્કામાં છે. વન ડે ઇંટરનેશનલ (ઓડીઆઇ) ક્રિકેટ માટેના વર્તમાન બારમી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં વિશ્વચેમ્પિયન કોણ બનશે તેની અટકળો થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જગતના વર્લ્ડ ચેમ્પિયન બનવા થનગની રહ્યા છે, ત્યારે બીજા દેશો પણ તાજપોશી માટે હવાતિયાં મારી રહ્યાં છે.

ક્રિકેટમાં સર્વ પ્રથમ ઑફિશિયલ ટેસ્ટ મેચ 1877માં રમાઈ. વિશ્વની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન (ઑસ્ટ્રેલિયા) ખાતે માર્ચ 1877 માં રમાઈ, જેમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ.

ભારતના ટેસ્ટક્રિકેટનો આરંભ 1932 માં ઇંગ્લેન્ડ સામેની સૌ પહેલી ટેસ્ટ મેચથી થયો. ભારત તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે ગ્રેટર લંડનના લૉર્ડ્ઝના ગ્રાઉન્ડ પર 1932માં રમ્યું. જો કે તેના વર્ષો પૂર્વે ભારતના પારસી ક્લબની ક્રિકેટ ટીમોએ ઇંગ્લેન્ડના અનધિકૃત પ્રવાસો કર્યા હતા. મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ભારતીય ક્રિકેટ ટીમ 1886માં સૌ પ્રથમ ઇંગ્લેન્ડના ક્રિકેટ પ્રવાસે ગઈ હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં આવ્યા, તેના સો વર્ષ પહેલાં બ્રિટીશ રાજમાં, હિંદુસ્તાનની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે આશ્ચર્યજનક વાત ને!

1933માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પહેલા પ્રવાસે આવી, ત્યારે ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ. ઇંગ્લેન્ડ સામેની ભારતમાં સર્વ પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈમાં બૉમ્બે જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી! 

ભારતીય ક્રિકેટની આવી તો કંઈક નાની મોટી રસપ્રદ કહાણીઓ ભૂલાઈ ગઈ છે.

‘મધુસંચય’ના આજના લેખમાં ભારતમાં ક્રિકેટના ઉદયની ગાથાને તેમજ ભારત – ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રારંભિક મેચોની રસપ્રદ વાતોને માણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા

  27 માર્ચ. વિશ્વ રંગભૂમિ દિન. આજે સમગ્ર વિશ્વ ‘વર્લ્ડ થિયેટર ડે’ ઉજવી રહ્યું છે. કોઈ પણ પ્રદેશની રંગભૂમિ તેના સમાજને અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતી ભાષામાં નાટ્યકલાના વિકાસની ગાથા રસપ્રદ છે. ભવાઈ: ગુજરાતી લોકનાટ્ય કલા કહે છે કે ગુજરાતના સુવર્ણકાળમાં પાટનગરી અણહિલપુર પાટણમાં સંસ્કૃત ભાષામાં નાટકો ભજવાયાં હતાં. તે પછી સદીઓ સુધી નાટ્યપ્રવૃત્તિ… Continue reading ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

હિંદુસ્તાન પર પોર્ટુગીઝ શાસનના પ્રારંભની અર્ધ-અજાણી વાતો

ભારત પર ઇંગ્લેન્ડના શાસનની વાતો એટલી લાંબી લખાઈ છે કે દેશ પરના પોર્ટુગલ (પોર્ટુગાલ) ના શાસનની વાતો ભૂલાતી જાય છે! ગુજરાતને તો પોર્ટુગીઝ શાસન સાથે સીધો પનારો પડ્યો હતો, પણ આપણે તે ઇતિહાસથી પરિચિત છીએ ખરા?

સોળમી સદીમાં ગુજરાતના એક મહત્ત્વના બંદર દીવ પર ‘બેટલ ઑફ દીવ’ ખેલાઈ અને દીવ દ્વારા પોર્ટુગીઝ પ્રજાનો ગુજરાતમાં પગપેસારો થયો તે વાત ભાગ્યે જ કોઇક જાણતું હશે!

આપણે દીવના પ્રવાસે જઈએ ત્યારે જ પોર્ટુગલ  શાસનની હકીકત આપણી નજરે ચઢે છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર મહિનો આવે અને 1961ના વર્ષમાં ભારતે પોર્ટુગીઝ સત્તા પાસેથી દીવ-દમણ-ગોવા પાછાં મેળવ્યાં હતાં તે વાત યાદ આવે!

ઇતિહાસ આપણને કેટકેટલું શીખવી જાય છે! 

1498માં પોર્ટુગલના સાહસિક, પ્રવાસી, સાગરખેડૂ વાસ્કો દ ગામાએ હિંદુસ્તાનના કિનારે પગ મૂક્યો. યુરોપના પોર્ટુગલથી નીકળી દરિયા માર્ગે ભારત પહોંચનાર વાસ્કો દ ગામા પ્રથમ યુરોપિયન હતો. આમ, યુરોપથી એટલાંટિક મહાસાગરનો પ્રવાસ ખેડી, આફ્રિકા ખંડના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ થઈ હિંદુસ્તાન પહોંચવા માટેનો સમુદ્ર માર્ગ મળી ગયો.

નવા જળમાર્ગ થકી હિંદુસ્તાન પર પગદંડો જમાવવાની યુરોપિયન પ્રજાઓને લાલસા જાગી. હિંદુસ્તાનથી કાળી મરી અને તજ જેવા મરી-મસાલા તેજાના મેળવવા માટે શરૂ થયેલો વ્યાપાર ભારત પર આધિપત્ય જમાવવાના રાજકારણમાં પલટાતો ગયો. બેટલ ઓફ દીવમાં ગુજરાતે દીવને ખોયું. પોર્ટુગીઝ પ્રજાના હાથમાં દીવ, દમણ અને ગોવા ગયાં હતાં, તે ભારતની આઝાદી પછી ચૌદ વર્ષે દેશને પાછાં મળ્યાં!

‘મધુસંચય’ના આજના લેખમાં હિંદુસ્તાન પહોંચી વ્યાપાર દ્વારા સત્તા જમાવવા પોર્ટુગલનાપ્રારંભિક પ્રયત્નો સાથે સંકળાયેલ તવારીખને સંક્ષિપ્તમાં સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલપર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આંદામાનના નોર્થ સેન્ટિનેલ ટાપુ પર વસતી આદિમ જાતિનાં રહસ્યો

આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ ભારતના હિસ્સારૂપ પ્રદેશો છે. ભારતના યુનિયન ટેરિટરી હોવાથી આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પર દેશનું આધિપત્ય છે,  છતાં ત્યાંના નોર્થ સેન્ટિનેલ ટાપુની મુલાકાતે કોઈ ભારતીય કે વિદેશી નાગરિક જઈ શકતા નથી. નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડની આસપાસના વિસ્તારને ભારત સરકારે પ્રતિબંધિત જાહેર કરેલ છે.

નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર વસતા  સેન્ટિનેલિઝ જનજાતિના સભ્યો બહારના વિશ્વથી તદ્દન અજાણ છે, બિલકુલ આદિમ અવસ્થામાં રહે છે અને બહારના મુલાકાતીને ટાપુની આસપાસ ફરકવા પણ દેતા નથી! સેંકડો વર્ષોથી દુનિયાથી સંપર્કવિહોણી આ રહસ્યમયી આદિવાસી પ્રજા વિશે વિશ્વ આજે પણ અજ્ઞાત છે! સેન્ટિનેલિઝ જનજાતિ કદાચ દુનિયાની આખરી અને એકમાત્ર આદિમ જાતિ છે, જેનો સંપર્ક માનવજાતિ કરી શકી નથી!

આવો, ‘મધુસંચય’ પર આંદામાનના સેન્ટિનેલ આઇલેન્ડની આ પ્રિમિટિવ આદિવાસી પ્રજા વિશે જાણીએ.

[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

લિડાર ટેકનોલોજી: આર્કિયોલોજી ક્ષેત્રે માયા સંસ્કૃતિનાં રહસ્યો ખોલતું વિજ્ઞાન

હરણફાળ ભરતા અર્વાચીન વિજ્ઞાનની એક અદભુત ભેટ લિડાર ટેકનોલોજી છે.

એગ્રીકલ્ચર, જીયોલોજીકલ સર્વે અને ઑટોનોમસ ટ્રાન્સ્પોર્ટેશનમાં ઉપયોગિતા સાબિત કરનાર લિડાર ટેકનોલોજી  આર્કિયોલોજીમાં પણ આશ્ચર્યજનક રીતે મદદરૂપ થઈ છે. વિશ્વની પ્રાચીન સિવિલાઇઝેશનમાં સમાવિષ્ટ મેસોઅમેરિકન સભ્યતા પર નવો પ્રકાશ રેલવામાં લિડાર ટેકનોલોજીની કામગીરીએ કમાલ કરી છે. લિડાર ટેકનોલોજીએ મધ્ય અમેરિકામાં માયા સંસ્કૃતિના પ્રસાર અને વિકાસનાં રહસ્યો પરથી  પડદા ખોલવાની શરૂઆત કરી છે. ઘોર જંગલોમાં છૂપાયેલા પ્રદેશોની, લેસર કિરણોની મદદથી થ્રી-ડી ઇમેજ બનાવી શકતી લિડાર ટેકનોલોજી પુરાતત્ત્વ વિજ્ઞાન ક્ષેત્રે વરદાનરૂપ સાબિત થઈ છે. આવો, ‘મધુસંચય’ પર માયા સંસ્કૃતિ અને આર્કિયોલોજી ક્ષેત્રમાં લિડાર ટેકનોલોજીના યોગદાન પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશી: સ્ત્રી શક્તિની પ્રેરણાદાયી કહાણી

વિમેન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણ, ફેમિનિઝમ કે જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો બસો વર્ષ પહેલાં ગૂંજતા થયા ન હતા. સ્ત્રીશિક્ષણ તો બાજુએ રહ્યું, બાળલગ્નની પ્રથા ઘર કરી બેઠી હતી. બાલવિધવાના દુ:ખનો પાર ન હતો. સ્ત્રીને રૂઢિઓની જંજીરોમાં જકડી ઘરમાં પૂરી રાખતો સમાજ કેવો સંકુચિત હશે! આવા સમાજનાં બંધનો તોડીને સ્ત્રીશક્તિને ઉદિત કરનાર વિરલ વિભૂતિઓનાં જીવન પ્રાણવાન હોય છે. રૂઢિચુસ્ત સમાજના વિચારોને અવગણી, મહિલાવર્ગને નવી પગદંડી બતાવનાર એક નિર્ભય, સાહસિક ભારતીય સન્નારી હતાં આનંદીબાઈ ગોપાલરાવ જોશી. જ્યારે ઘરની ચોખટ પાર કરનાર સ્ત્રી સામે આંગળી ઊઠતી, તે જમાનામાં આનંદીબાઈ જોશી અમેરિકા જઈ, મેડિકલનો અભ્યાસ કરી, એમડીની ઉચ્ચ ડિગ્રી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા. આવો, ‘મધુસંચય’ પર વાંચો પૂરી કહાણી.

[અહીંથી આગળ વાંચવા આ લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

યુરોપ-અમેરિકામાં ઉચ્ચ શિક્ષણનો પ્રસાર: સ્ત્રી સમાજમાં જાગૃતિ

[આ બ્લૉગ ‘મધુસંચય’ પર આપ ગુજરાતી નેટ પર અગાઉ કદી ન વાંચેલી અણજાણી માહિતી માણો છો.

ગયા લેખ (11/04/2018) માં ‘ભારતમાં શિક્ષણના પ્રસાર અને સ્ત્રી શક્તિના ઉદય’ની વિસ્મયકારી વાતો આપને પસંદ પડી છે. આજના લેખમાં આપણે યુરોપ અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણના પ્રસારને સમજવા ઑક્સફર્ડ, કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ વિશે જાણીશું. ચાલો જાણીએ: વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીઓ કઈ? યુરોપ/ અમેરિકાની પ્રથમ યુનિવર્સિટીઓ કઈ? ચાર્લ્સ ડાર્વિન, ટોમસ જેફરસન કે સ્ટિફન હૉકિંગે ક્યાં અભ્યાસ કર્યો?

‘મધુસંચય’ પર સંપૂર્ણ લેખ (પોસ્ટ) ને અહીંથી આગળ વાંચવા આ લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો, તો આપના સ્ક્રીન પર પૂરો લેખ આવી જશે.  ધન્યવાદ. – હરીશ દવે.]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ભારતમાં શિક્ષણનો પ્રસાર: સ્ત્રી શક્તિનો ઉદય

વિમેન એમ્પાવરમેન્ટની વાતો આજે કેવી સહજતાથી થઈ શકે છે! પુરૂષ સમોવડી સ્ત્રીનો ખ્યાલ આજે કેવો સરળ છે! ઓગણસમી સદીમાં સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી શક્તિ, ફેમિનિઝમ, સ્ત્રીના સમાન હક્કો, જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો વિચારી શકાતા પણ ન હતા. પુરૂષપ્રધાન સમાજમાં મહિલાઓને ભાત ભાતની બેડીઓમાં જકડી અશિક્ષિત રાખવાના પ્રયત્નો થતા હતા, ત્યારે મુઠીભર દૂરદ્રષ્ટાઓએ આ બેડીઓ તોડી. તેઓએ કુરૂઢિઓને પડકારી સ્ત્રીઓને શિક્ષિત કરવા કમર કસી અને સ્ત્રીશિક્ષણના પ્રસાર સાથે હિંદુસ્તાનમાં સમાજની તાસીર પલટાતી ગઈ. અજ્ઞાનમાં ડૂબેલા હિંદુસ્તાનમાં શિક્ષણ દ્વારા જાગૃતિના દીપ પ્રગટાવનાર જ્યોતિર્ધરો તથા તે જમાનામાં મહિલા સમાજને પ્રેરણા આપનાર, હિંદુસ્તાનની સર્વ પ્રથમ શિક્ષિત સ્ત્રીઓના આપણે ઋણી છીએ. આવો, આપણે આપના આ બ્લૉગ ‘મધુસંચય’ પર તેમની ગાથાઓ દ્વારા  તેમને સ્મરણાંજલિ અર્પીએ.

સ્ત્રી શક્તિના ઉદયની વિસરાતી કહાણીઓનો પાર નથી. સ્ત્રી શક્તિને જાગૃત કરવામાં નામી-અનામી સજ્જન-સન્નારીઓ તથા સંસ્થાઓએ અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. સૌને વંદન!

** ‘મધુસંચય’ પર આ લેખ આગળ વાંચવા માટે  લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરવા વિનંતી **

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

મુંબઈમાં દોડી ભારતીય રેલવેની પ્રથમ પેસેંજર ટ્રેન (1853)

  ઇંગ્લેન્ડમાં સ્ટોકટન ડાર્લિંગટન રેલવે લાઇનના આરંભ (1825) પછી યુરોપ તથા અમેરિકામાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાઓ ફેલાવા લાગી. અંગ્રેજ શાસનમાં 1832 થી 1850 દરમ્યાન હિંદુસ્તાનમાં રેલવે પ્રચલિત થતી ગઈ. હિંદુસ્તાનમાં રેલવે વ્યવહારની શરૂઆત સૌ પહેલાં, દક્ષિણ ભારતમાં ચિંતાદ્રિપેટ (મદ્રાસ) ખાતે પ્રાયોગિક ધોરણે રેલવે લાઇનનો ઉપયોગ થયો. 1837 માં મદ્રાસ ઇલાકા (મદ્રાસ પ્રેસિડેંસિ, હાલ તામિલનાડુ) માં રેડ… Continue reading મુંબઈમાં દોડી ભારતીય રેલવેની પ્રથમ પેસેંજર ટ્રેન (1853)

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ભારતમાં રેલવેના ઇતિહાસની અવનવી વાતો

  ઓગણીસમી સદીમાં રેલવે 1853માં ઇસ્ટ ઇંડિયા કંપનીએ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપની દ્વારા હિંદુસ્તાનમાં મુંબઈ શહેરમાં બોરીબંદર – થાણા રેલવે લાઇન પર પ્રથમ  રેલવે પેસેંજર ટ્રેન સેવાની શરૂઆત કરી. સ્ટીમ એંજિનો દ્વારા ખેંચાયેલ આ ટ્રેન એશિયાની પ્રથમ પેસેંજર ટ્રેન હતી. આ અગાઉ વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાનો આરંભ થઈ ચૂક્યો હતો. સૌ પ્રથમ ગ્રેટ… Continue reading ભારતમાં રેલવેના ઇતિહાસની અવનવી વાતો

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (2)

  ઇંગ્લેન્ડમાં સ્ટીમ એંજિનને કારણે ઔદ્યોગિક ક્રાંતિને વેગ મળ્યો તે આપણે જાણીએ છીએ. ટોમસ ન્યુકોમેન (થોમસ ન્યુકોમેન) પછી સ્ટીમ એંજિનમાં પાયારૂપ ફેરફારોને કારણે જેમ્સ વૉટ તથા સ્ટીમ લોકોમોટિવમાં ક્રાંતિકારી સુધારાઓને કારણે જ્યોર્જ સ્ટિફન્સન નામના મેળવી ગયા. ઇંગ્લેન્ડમાં રેલવે વ્યવહારનો આરંભ  આપ જાણો છો કે પહેલાં બળદથી કે ઘોડાથી ગાડી – ગાડાં ખેંચાતાં. ટ્રામ ઘોડાથી ખેંચાતી;… Continue reading ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (2)