.
મહર્ષિ અરવિંદની ફિલોસોફીનો એક અંશ: “ધ ડિવાઈન લાઈફ”માંથી
મહર્ષિ અરવિંદ વિષે લખવા બેસીએ તો દિવસો લાગે! તેમની ફિલોસોફીને વ્યક્ત કરવા ગ્રંથો ઓછા પડે!
મહર્ષિ અરવિંદની ફિલોસોફી તેમની વિવિધ કૃતિઓમાં તેમજ વ્યાખ્યાનોમાં વ્યક્ત થયેલ છે. તેમનો એક મનનીય ગ્રંથ છે: “ધ ડિવાઈન લાઈફ”. તેમાંના એક અંશનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસ્તુત છે:
“અજ્ઞેયનું પ્રકટીકરણ આપણી સમક્ષ બે સ્વરૂપે થાય છે: સૃષ્ટિ તથા વ્યક્તિ સ્વરૂપે. તે બે સ્વરૂપોથી આપણે અજ્ઞેયને પામવાનું છે. ઈન્દ્રિયગમ્ય બીજાં રૂપો પણ સૃષ્ટિ અને વ્યક્તિને જ આભારી છે…… પરમ સત્યનું અવતરણ દિવ્ય છે. દિવ્ય ચેતનાનું અવતરણ થતું જાય છે અને મનુષ્યની જીવનયાત્રા ઉર્ધ્વગામી બને છે. … મનુષ્યત્વની આપણી આજની ભૂમિકા વચગાળાની છે … આપણા દૈવી મનુષ્યત્વનું સર્વોચ્ચ લક્ષ્ય અતિમનસ – સુપરમાઈન્ડ – છે; સુપરમાઈન્ડ એ જ સુપરમેનની પહેચાન છે. આપણી ઉર્ધ્વગામી યાત્રામાં મનની પેલે પાર, ઉચ્ચતર ભૂમિકા પર પહોંચવાનું છે. મનુષ્યના અસ્તિત્વનો યથાર્થ હેતુ છે દિવ્ય જીવન પ્રતિ યાત્રા.”
.
atimanash upar SHRI AMBUBHAI PURANI “PUJYA BASHATHE ” NARGOL 15AUGAST 19 61 MA LAGBHAG AVELA TYARE KHUBAJ RADYAY SPRSHI TATVAGNANTHI LEKCAR AAPI SATSANG KARI GAYA HATA, E SAMAYE SURAT DEPYUTI BANGLO MA SHRI ARVIND SHEM\NTAR HATU TYANA SHADHAKO SHRI ISVAR BHAI JARIVALLA(BHATT) VIGERE PAN AAVELA E SAMAYE SHRI ARAVIND AHRI ARAVIND RADAYA RADAYA AHRI ARVIND NU KAVI SHRI SUNDARAM NI PRADHNA KAVYA GAVAYELU TANTURO ANE SATHAKO NA GHABHIR AVAJ THI AMBUBHAI ANE BANA SANIDHYAMA SUNDARAMJI NI DIVYA HAJRI VARTATI HATI ” MADHAR” NO DIVYA SAKSAKTKAR NI AE ANUBHUTI ANE AMBUBHAI NI CHTNAVANT VANI AAJE PAN YAD AAVE CHE, DHANYA CHE EAVTARI KAVI ANE AMBUBHAI PURANI. AADHNYA TA FARITHI BESHAK JAYSHRI BEN BHAKTA NE MUBARAK CHE .
અતિમનસનું અવતરણ એ શ્રી અરવિંદનું પોતાનું આગવું દર્શન અને આધાત્મિક સ્વપ્ન હતું . જ્યારે પણ એ સ્વપ્ન સાકાર થશે, ત્યારે માનવ જાતિ ઉત્ક્રાન્તિના કદાચ છેલ્લા તબક્કા ભણી પ્રયાણ કરશે.
માનવ જીવના મોક્ષના ધ્યેયથી જોજનો આગળ શ્રી અરવિંદનું સ્વપ્ન વિસ્તરે છે. પરમ ચેતનાનું અવતરણ માનવ મનથી પણ નીચેના સ્તરો સુધી , એકે એક જીવિત કોષ સુધી થાય – તે છે ‘દિવ્ય જીવન’ ની પરિકલ્પના .