Posted on August 16, 2007 by હરીશ દવે
. “વીસમી સદી” ફરી જીવંત થયું છે. આનંદો! ગરવી ગુજરાતના મારા ગરવા ગુજરાતી મિત્રો! વધાવી લો આ સમાચાર! ગુજરાતી ભાષાના ગૌરવરૂપ “વીસમી સદી” આપણા કોમ્પ્યુટરના નાનકડા પડદે રજૂ થયું છે. હાજીમહમ્મદ અલ્લારખા શિવજીનું “વીસમી સદી” ઈન્ટરનેટ પર પુનર્જન્મ પામ્યું છે – વેબસાઈટ રૂપે (http://gujarativisamisadi.com). “વીસમી સદી”ના પુનરાવતારનો શ્રેય જાય છે મુંબઈના ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી નવનીતલાલ [...]
Filed under: ગુજરાતી, સમાચાર-વિચાર, સાહિત્ય | 6 Comments »
Posted on મે 30, 2007 by હરીશ દવે
. “કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ: . . મારી મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સુપ્રતિષ્ઠિત પારિવારિક સામયિક “કુમાર”માં પ્રકાશિત થઈ છે. આપ સૌ મિત્રોને એ જાણીને ખુશી થશે કે મારી મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં આ પ્રથમ પ્રસિદ્ધિ છે. “કુમાર”ના મે 2007ના અંક(સળંગ અંક 953) માં પૃષ્ઠ ક્રમાંક 293 પર લઘુકાવ્ય તરીકે આ કૃતિ પ્રકાશિત થઈ [...]
Filed under: ગુજરાતી, સમાચાર-વિચાર, સાહિત્ય | 17 Comments »
Posted on March 17, 2007 by હરીશ દવે
. “ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતા. આ સંસ્થાની સ્થાપના દ્વારા રણજિતરામ મહેતાએ ગુજરાત અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરી છે. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઈ.સ. 1903માં બી.એ. કરનાર રણજિતરામભાઈ ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના ખાનગી મંત્રી હતા. ઈ.સ. 1917માં માત્ર 35 વર્ષની ઉંમરે આકસ્મિક રીતે તેમનું મૃત્યુ થયું. મુંબઈના જૂહુના દરિયાકિનારે એક ડૂબતા નાગરિકને [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 2 Comments »
Posted on November 23, 2006 by હરીશ દવે
. પ્રિય મિત્રો! મેં આપમાંથી ઘણા મિત્રોને ગુજરાતી નેટ જગત અંગે ઈ-મેઈલ મોકલ્યા છે. આજનો આ ઈ-મેઈલ મારા બ્લોગ “મધુસંચય” પર પણ પ્રસિદ્ધ કરું છું. આપ આ ઈ-મેઈલ “મધુસંચય” પર પણ વાંચી શકશો. ફરી એક વખત સ્પષ્ટ કરું કે સરસ આરંભ થયો છે. પણ હવે આપણે ચર્ચાથી સહેજ આગળ જવું પડશે. ચર્ચા કરવી તે કાર્યના [...]
Filed under: ગુજરાતી, સમાચાર-વિચાર | 10 Comments »
Posted on November 19, 2006 by હરીશ દવે
. રણછોડભાઈ ઉદયરામ દવે (1837-1923)ને ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાના “આદ્ય નાટ્યકાર” તરીકે નવાજવામાં આવે છે. રણછોડભાઈને પ્રસિદ્ધિ અપાવનાર નાટક “જેકુંવરનો જે”. રણછોડભાઈ આ નાટક “બુદ્ધિપ્રકાશ”માં ધારાવાહિક નાટકરૂપે લખતા. આ નાટક “જેકુંવરનો જે” આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક બન્યું. આ નાટક પાછળથી “જયકુમારીવિજય- નાટક” (1865) નામથી પ્રગટ કરવામાં આવ્યું. રણછોડભાઈને ભારે લોકપ્રિયતા મળી. આમ, [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 1 Comment »
Posted on November 18, 2006 by હરીશ દવે
ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક ધનસુખલાલ મહેતાને આપણે જાણીએ જ છીએ! જ્યોતીન્દ્ર દવે સાથે ધનસુખલાલ મહેતાએ આપણને “અમે બધાં” જેવી મજેદાર કૃતિ આપી છે. પરંતુ ધનસુખલાલ મહેતાનો ફિલ્મજગત સાથે સંબંધ કલ્પી શકશો? ધનસુખલાલ મહેતાએ એક હિન્દી ફિલ્મમાં ગીતકાર તરીકે ફાળો આપેલ છે. આ ફિલ્મ હતી “જવાનીકી હવા”. આ ફિલ્મમાં વિખ્યાત અભિનેત્રી દેવિકારાનીએ અભિનય આપેલો ફિલ્મમાં હીરો [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | Tagged: , , ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ફિલ્મ - સિનેમા, મધુસંચય, લેખક, હરીશ દવે, હિંદી ફિલ્મ, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay | 2 Comments »
Posted on November 15, 2006 by હરીશ દવે
. સુશ્રી નીલાબહેન કડકીયા તથા સુશ્રી ઊર્મિબહેને રસપ્રદ મુક્તપંચિકાઓની રચના કરી છે. આપ નીલાબહેન કડકીયાના “મેઘધનુષ” તથા ઊર્મિબહેનના “ઊર્મિનો સાગર” બ્લોગ્સથી પરિચિત છો જ. બંને બહેનોએ પોતપોતાના બ્લોગ્સપર તાજેતરમાં ભાવવાહી મુક્તપંચિકાઓ રચી છે જે વાચકના દિલને સ્પર્શી જાય તેવી છે. બંને બહેનોને અભિનંદન તથા શુભેચ્છાઓ! આપ આ મુક્તપંચિકાઓને માણવા ‘ક્લિક’ કરશો: મેઘધનુષ ઊર્મિનો સાગર ………..
Filed under: ગુજરાતી, સમાચાર-વિચાર, સાહિત્ય | Tagged: , ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, મધુસંચય, મુક્તપંચિકા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay, Muktapanchika | 2 Comments »
Posted on November 10, 2006 by હરીશ દવે
. કંચનલાલ વાસુદેવ મહેતા “મલયાનિલ”(1892-1919)ને ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાના પ્રણેતા લેખવામાં આવે છે. તેમના જીવનકાળ સમયે ગુજરાતી ભાષાનું વાર્તાક્ષેત્ર મુખ્યત્વે બોધાત્મક હતું. જો કે રણજીતરામ વાવાભાઈ મહેતાએ લખેલ “હીરા”(1904)ને ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા ગણવામાં આવે છે, પરંતુ તે વાર્તાની શૈલી ઘડાયેલ ન હતી. “મલયાનિલ”ની ટૂંકી વાર્તા “ગોવાલણી” બોધાત્મકતાની અસરથી મુક્ત અને આધુનિક શૈલીની છાંટવાળી [...]
Filed under: ગુજરાતી, સાહિત્ય | Tagged: , ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ટૂંકી વાર્તા, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay | 2 Comments »
Posted on November 9, 2006 by હરીશ દવે
. • કનૈયાલાલ મુનશીની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં ’જય સોમનાથ’ તથા ‘પૃથિવી વલ્લભ’ જેવી નવલકથાઓ તેમજ આત્મકથાના ખંડો ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ છે. ઐતિહાસિક નવલકથા ‘પૃથિવી વલ્લભ’ રસસભર કૃતિ છે. • 1943માં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ નામક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેનું કથાનક કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવી વલ્લભ’ પર આધારિત હતું. પ્રખ્યાત ફિલ્મ કંપની [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 1 Comment »
Posted on November 9, 2006 by હરીશ દવે
. • બહુ ઓછા જાણતા હશે કે કનૈયાલાલ મુનશી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત વડોદરા કોલેજમાં મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય હતા. • 1907માં સુરતના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશન સમયે શ્રી અરવિંદે સુરત શહેરમાં જાહેર સભાઓને સંબોધી હતી. તેમાં યુવાન કનૈયાલાલ મુનશીએ હાજરી આપીહતી. • પોંડિચેરીના એકાંતવાસ દરમ્યાન મહાયોગી શ્રી અરવિંદ બહુ ઓછા મહાનુભાવોને મળતા. તે સમયે પણ [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 2 Comments »
Posted on November 9, 2006 by હરીશ દવે
. • ગુજરાતી ભાષાના મહાન સાક્ષર મણિલાલ દ્વિવેદીના પિતા નભુભાઈ કવિ હતા. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા નભુભાઈએ કથાત્મક કાવ્યો રચ્યાં. તેમણે બહુચરાજીનો ગરબો રચ્યો, ઉપરાંત બાળકૃષ્ણલીલાનાં પદો રચ્યાં. • મણિભાઈએ શ્રીમદ ભગવદગીતાનું શબ્દાર્થ અને ઉદ્દેશ સાથેનું પ્રથમ ગુજરાતી ભાષાંતર કર્યું. • મણિભાઈ વિચારક હતા. થિયોસોફીના વિકાસમાં તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. જીવનને ખીલવનારા સદગુણો, ધર્મ [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 1 Comment »
Posted on October 22, 2006 by હરીશ દવે
. અંગ્રેજ કવિ વિલિયમ વર્ડઝવર્થને આપ સૌ જાણો છો. અંગ્રેજી સાહિત્યમાં અગ્રગણ્ય બ્રિટિશ કવિ. અંગ્રેજી કાવ્યક્ષેત્રે “રોમેંટિસિઝમ”ના પ્રણેતા કવિ તે વિલિયમ વર્ડઝવર્થ. વિલિયમ વર્ડઝવર્થના પૌત્ર મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના પ્રિન્સિપાલ નિમાયા હતા. પ્રિન્સિપાલ વર્ડઝવર્થ તેમના મહાન દાદા જેવા જ સાહિત્યપ્રેમી. પ્રિન્સિપાલ વર્ડઝવર્થ ગુજરાતી ભાષામાં સાહિત્ય-સર્જનને ઉત્તેજન આપવામાં નિમિત્ત બન્યા. તે સમયે ગુજરાતના બુદ્ધિમાન વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસાર્થે [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 3 Comments »
Posted on October 21, 2006 by હરીશ દવે
. નરસિંહરાવ દિવેટિયાના પિતાશ્રી ભોળાનાથ સારાભાઈ દિવેટિયા (1823-1886). ભોળાનાથ સારાભાઈ તે જમાનાના અમદાવાદના સુપ્રતિષ્ઠિત નાગરિક. પોતે સરકારી નોકરીમાં ઉચ્ચ અમલદાર. શ્રીમંત અને સુશિક્ષિત કુટુંબ. ભોળાનાથ સારાભાઈને ત્યાં મહીપતરામ રૂપરામ, નવલરામ પંડ્યા, અંબાલાલ સાકરલાલ, લાલશંકર ઉમિયાશંકર, શેઠ રણછોડલાલ છોટાલાલ વગેરે આવતા. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જજ તરીકે આવ્યા ત્યારે શાહીબાગમાં રહેલા. ભોળાનાથભાઈ તેમના [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | Leave a Comment »
Posted on October 21, 2006 by હરીશ દવે
. દુર્ગારામ મહેતાજી (1809-1876) ગુજરાતના પ્રથમ શિક્ષક-સમાજસેવક. ગુજરાત અને ગુજરાતી પ્રજામાં ચેતના જગાવનાર ગુજરાતના પ્રથમ સમાજસુધારક. અજ્ઞાન અને કુરિવાજોમાં સબડતા લોકમાનસમાં જાગૃતિ આણનાર સુરતના ત્રણ “નન્ના” તે નર્મદ, નંદશંકર મહેતા તથા નવલરામ પંડ્યા. સુરતના આ ત્રણ “નન્ના”ઓને પ્રેરણા આપનાર તે દુર્ગારામ મંછારામ દવે જેમને ગુજરાત દુર્ગારામ મહેતાજી તરીકે ઓળખે છે. સુરતમાં 1809માં જન્મ. મુંબઈમાં પ્રાથમિક [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 1 Comment »
Posted on October 9, 2006 by હરીશ દવે
. મુક્તપંચિકા વિષે પૃચ્છા કરતા ગુજરાતી ભાષાના ચાહક મિત્રોના મારા પર મેઈલ તથા પત્રો આવે છે. મુક્તપંચિકામાં રસ લેવા બદલ આભાર. મુક્તપંચિકા વિષે માર્ગદર્શન તથા મારી મુક્તપંચિકા-કૃતિઓ બ્લોગર (Blogger) ના મારા ગુજરાતી બ્લોગ પર નીચેના URL પર છે: http://gujarat1.blogspot.com આપ સૌ મુક્તપંચિકા રચી શકો છો. મેં એ પણ જોયું છે કે ઘણા વાચકમિત્રોએ મારી રચનાઓ [...]
Filed under: ગુજરાતી, સાહિત્ય | 2 Comments »