રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ)

.
નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. રમણભાઈ નીલકંઠ જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા.
સાક્ષર રમણલાલ નીલકંઠના પિતાનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ.
સમાજસુધારાના વિચારોનો વારસો રમણભાઈને પિતા તરફથી મળેલો.
મહીપતરામ નીલકંઠ ઈ. સ. 1860માં ઈંગ્લેંડ ગયેલા. તે [...]

ઈન્દુલાલ યાજ્ઞિક

.
* ઈન્દુલાલ યાજ્ઞિકને રાજકારણી તરીકે સૌ ઓળખે, સાહિત્યકાર તરીકે કદાચ કેટલાક ઓળખે, પરંતુ ફિલ્મ ઉદ્યોગના અગ્રેસર તરીકે કેટલા ઓળખે?
* ઈન્દુલાલ યાજ્ઞિક રાજકારણમાં તો ઘણા મોડા પ્રવેશ્યા. પહેલાં તેઓ મુંબઈમાં પત્રકાર હતા. તે દરમ્યાન તેમણે ફિલ્મ લાઈનમાં નસીબ અજમાવેલું. તેમની બનાવેલી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ “પાવાગઢનો પ્રલય” મુંબઈના ઈમ્પિરિયલ સિનેમામાં બે અટવાડિયાં ચાલેલી જે પ્રશંસાપાત્ર ગણાય.
* ત્યાર [...]

કવિ દલપતરામ

* કવિ દલપતરામની કવિતામાં મનોરંજન તથા નીતિબોધનાં લક્ષણો હતાં. સમાજના દંભ અને મોટાઈના પ્રદર્શન જેવાં દૂષણો પર ચાબખા મારતું તેમનું નાટક “મિથ્યાભિમાન” લોકપ્રિય થયેલું છે.
* કવિ દલપતરામ ના પિતા પ્રખર વેદાંતી હતા. તેમણે પાછલી ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસ લીધો હતો.
* કવિ દલપતરામે નાની ઉંમરમાં સ્વામિનારાયણ ધર્મના સંસ્થાપક સહજાનંદ સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન કરેલાં.
* 1846માં ફાર્બસ [...]

સારસ્વત પરિચય : અનોખી સિદ્ધિ

.
“ગુજરાતી સારસ્વત પરિચય” આજે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આજે અમે 100મી પોસ્ટ પ્રસિદ્ધ કરી છે.
ગુજરાતી બ્લોગજગત અને ગુજરાતી ભાષાના ચાહકો માટે આ ગર્વની વાત છે.
ગુજરાતી બ્લોગજગતમાં “ગુજરાતી સારસ્વત પરિચય” પ્રથમ ‘સહકારી’ ગુજરાતી બ્લોગ છે જેની ટીમના સભ્યો વિશ્વનાં અલગ અલગ ખૂણે સ્થિત છે. તેથી ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જક ત્રિભુવનદાસ લુહાર ‘સુંદરમ્’ ની [...]

શ્રી સુંદરમ્ ની અધ્યાત્મદ્રષ્ટિ

.
શ્રી ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્ માટે કાવ્યસર્જન તેમની અધ્યાત્મયાત્રાનો એક ભાગ બન્યું હતું. તેમની અધ્યાત્મદ્રષ્ટિ તેમના એક કાવ્યની નીચેની પંક્તિઓમાં ઝલકે છે:
મંજરીએ મંજરીએ મીઠું મ્હોરેલું,
કોકિલના કંઠે ફોરેલું,
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને,
છૂટ્ટે હાથે એ વેરેલું.
હો ગીત કોણ ગાતું ઘેલું?
………….
- ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્

શ્રી અરવિંદ: ધ ડિવાઈન લાઈફ

.
મહર્ષિ અરવિંદની ફિલોસોફીનો એક અંશ: “ધ ડિવાઈન લાઈફ”માંથી
મહર્ષિ અરવિંદ વિષે લખવા બેસીએ તો દિવસો લાગે! તેમની ફિલોસોફીને વ્યક્ત કરવા ગ્રંથો ઓછા પડે!
મહર્ષિ અરવિંદની ફિલોસોફી તેમની વિવિધ કૃતિઓમાં તેમજ વ્યાખ્યાનોમાં વ્યક્ત થયેલ છે. તેમનો એક મનનીય ગ્રંથ છે: “ધ ડિવાઈન લાઈફ”. તેમાંના એક અંશનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસ્તુત છે:
“અજ્ઞેયનું પ્રકટીકરણ આપણી સમક્ષ બે સ્વરૂપે થાય છે: [...]

“ગીતાંજલિ”માંથી

.
ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય હતા.
અમર કૃતિ “ગીતાંજલિ” માટે 1913માં કવિવર ટાગોરને નોબેલ પ્રાઈઝ એનાયત થયું હતું.
મારા ઘણા વિદ્યાર્થીઓએ-પરિચિતોએ ગુરૂદેવ ટાગોરની “ગીતાંજલિ” વાંચી જ નથી. “ગીતાંજલિ”ની એક ઝલક પણ તેમના હૃદયમાં એક ચમકારો કરી જશે!
નીચેની સુંદર પંક્તિઓ ગુરૂદેવ ટાગોરની અમર કૃતિ “ગીતાંજલિ”માંથી લીધેલ છે:
The song that I came to sing remains [...]

અનામિકાને પત્ર: 9

.
પ્રિય અનામિકા,
તમારો અચાનક ફોન આવતાં આશ્ચર્ય જરૂર થયું હતું. અમરે “લગે રહો મુન્નાભાઈ”ની વાત કરી તો આનંદ થયો.
તમે તમારા ભારતીય મિત્રો સાથે “લગે રહો મુન્નાભાઈ” માણી. સૌએ જોવી જોઈએ. મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત આ ફિલ્મ બધાને સ્પર્શવી જ જોઈએ.
ગાંધીજીના આદર્શો રમૂજ સાથે વ્યક્ત કરવામાં વિધૂ વિનોદ ચોપરા તથા હીરાણી સફળ થયા છે. સ્ક્રીપ્ટ અને [...]

તલત મહેમૂદનું ભાવજનક ગીત

.
…………………………..
ઝિન્દગી ગીત હૈ પ્યાર હૈ રાગિની,છેડ દે સાઝ કો રાત હૈ કાટની,
સબ કે હોઠોં પે નાચે અફસાના તેરા,
દિલકી ધડકન સે ગા, ઉમ્રભર મુસ્કરા … પ્યાર કો જીત લે, ઝિન્દગી હાર જા ..
.<p

અમે લહર આંસુની

.
અમે લહર આંસુની સાજન અમે છલકતાં લોચન; અમે તમારી મરુભોમના ઝરમર ઝરમર સાવન !સાભાર: “નિતાંત”માંથી. કવિ ડો. ચંદ્રકાંત દત્તાણી.
પ્રકાશક: લય પ્રકાશન, પોરબંદર.

પ્રતિભાસંપન્ન ગુજરાતીઓની વસમી વિદાય!

.
પ્રોફેસર દેવવ્રત પાઠક તથા પ્રોફેસર રમણલાલ જોષીના દેહાવસાનથી ગુજરાતના સંસ્કારક્ષેત્રે વિશેષ શૂન્યાવકાશ ઊભો થયો છે. સ્વર્ગસ્થ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થીએ!
ૐ શાંતિ:| શાંતિ:| શાંતિ:|
.

પ્રખર વિદ્વાન પંડિત શ્રી કે. કા. શાસ્ત્રીનું મહાપ્રયાણ

.
મહાવિદ્વાન સારસ્વત શ્રી કે. કા. શાસ્ત્રી નું મહાપ્રયાણ
ગુજરાતના ગૌરવ-સમા વિદ્યાવાચસ્પતિ વિદ્વાન પૂજ્ય કે. કા. શાસ્ત્રીજીએ મહાપ્રયાણ કર્યું છે.
“કેકા” ના પ્રેમભર્યા લોકપ્રિય સંબોધનથી જાણીતા પદ્મશ્રી શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ અમદાવાદમાં 9 સપ્ટેમ્બર, 2006 ને શનિવારના રોજ બપોરે 102 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો હતો. મોડી સાંજે ધાર્મિક વિધિ અનુસાર સ્વર્ગસ્થનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
પૂજ્ય [...]

ગુજરાતી સાહિત્યકાર બકુલ ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ

હાસ્યસાહિત્યકાર સ્વ. બકુલભાઈ ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ
ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી ભાષાની સેવામાં પ્રવૃત્ત સંસ્થાઓના ઉપક્રમે સ્વર્ગસ્થ હાસ્યસાહિત્યકાર બકુલ ત્રિપાઠીને અંજલિ અર્પવા ગુરુવાર, 7 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક હોલમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયેલ હતું.
સાહિત્ય જગત સાથે સંલગ્ન લબ્ધપ્રતિષ્ઠિત સર્જકો તથા અગ્રણીઓએ બકુલભાઈને ભાવભીની અંજલિ અર્પી હતી. [...]

માર્ક ટ્વેઈન તથા હેલીનો ધૂમકેતુ

.
માર્ક ટ્વેઈન તથા હેલીનો ધૂમકેતુ
વિખ્યાત અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઈનને આપ જાણતા હશો.
તમે કદાચ એ પણ જાણતા હશો કે હેલીનો ધૂમકેતુ આકાશમાં લગભગ 76 વર્ષના ગાળે દેખાય છે.
તમને પ્રશ્ન થશે: માર્ક ટ્વેઈનને હેલીના ધૂમકેતુ સાથે શો સંબંધ?
માર્ક ટ્વેઈનનો જન્મ થયો નવેમ્બર 30, 1835ના રોજ. આ દિવસે હેલીનો ધૂમકેતુ ઓગણીસમી સદીમાં પ્રથમ વખત દેખાયો.
માર્ક ટ્વેઈનનું [...]

ગુજરાત તથા ગુજરાતી ભાષાની સેવા

ગુજરાત તથા ગુજરાતી ભાષા અત્યારે ચર્ચામાં કેન્દ્રસ્થાને છે. તે માટે વર્લ્ડ ગુજરાતી કોંફરન્સ તથા સ્વ. બકુલભાઈ ત્રિપાઠી નિમિત્ત બન્યાં છે.
માનનીય બકુલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદના કદાચ પ્રથમ પ્રમુખ છે, જે પોતાના કાર્યકાળ દરમ્યાન અવસાન પામ્યા હોય. સ્વર્ગસ્થ સાહિત્યકારને અંજલિ અર્પવા મુખ્ય મંત્રીશ્રી સ્વયં આવે અને આપણી વચ્ચે અર્ધો કલાક રહે તે સૌજન્ય સાચે [...]