અધ્યાત્મ અને મૌન

.

અધ્યાત્મ માર્ગે ફિલોસોફર, ઉપદેશક કે ગુરુજનોના ઉપદેશને, તેઓના શબ્દોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા તથા સ્થળ-કાળને લક્ષ્યમાં રાખી તેમનું યથાર્થ અર્થઘટન કરવું આવશ્યક હોય છે. નહીં તો મહાઅનર્થ સર્જાઈ જાય!

અધ્યાત્મ પ્રતિ જે અભિમુખ હશે તેમણે મૌનનો અભ્યાસ જરૂર કરેલો હશે. મૌન વિષે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.

સાધકને ઘણી વખત પ્રશ્ન થાય છે: શબ્દને બ્રહ્મ કહેલ છે, તો મૌનનું મહત્વ શા માટે?

અધ્યાત્મ માર્ગે શબ્દનું આલંબન એક ચરણ સુધી સ્વીકાર્ય હોઈ શકે; ત્યાર પછી તે ઘટતું જાય તે ઈચ્છનીય બને છે; ક્યારેક આવશ્યક પણ.

વાણીના ચાર પ્રકાર: વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરા. ચારેય વાણી મૌન થાય ત્યારે તે શુદ્ધ મૌન કહેવાય છે.

Leave a Reply